અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૮/૦૭/૨૦૨૪ના રોજ અમરોલી વિસ્તારનાં રહે ઘર નં.૭૨, પહેલા માળે, ગોકુલ ધામ સોસાયટી, છાપરાભાઠા રોડ ખાતે રહેતા ૨૩ વર્ષિય જાનવીબેન અશ્વિનભાઈ કાનજીભાઈ રૂપારેલીયા કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ છે અને ઉંચાઈ ૦૫.૦૪ ફુટ છે. જેણે શરીરે પર્પલ કલરનું ટી-શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલ છે. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
