જયપુરના વેપારી દંપતીએ ૭.૮૭ લાખનો માલ ખરીદી માત્ર એક લાખનું ચૂકવણું કર્યું

સુરત શહેરના ગણપતિ ફેબ્રિક્સ અને બાલાજી ફેબ્રિક્સના નામે કાપડનો ધંધો કરતા શર્મા દંપતીએ વરાછાના વેપારી પાસેથી ૭.૮૭ લાખનું કાપડ મંગાવી માત્ર એક લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

બાકીના ૬.૮૭ લાખ ત્રણ વર્ષ બાદ પણ નહિ ચૂકવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અડાજણ, કમલાપાર્ક સોસાયટીમાં રહેતા વિપુલ ધનસુખ ચૌહાણ વરાછામાં બોમ્બે માર્કેટ પાછળ કુબેરજી પ્લાઝોમાં સાંઇ અર્પણ ટેક્ષ ફેબનાં નામે કાપડની પેઢી ધરાવે છે. ઓક્ટોબર-૨૧માં તેમણે જયપુરના સુમેલ વિજયપુરામાં ગણપતિ ફેબ્રિક્સ અને બાલાજી ફેબ્રિક્સના નામે ધંધો કરતા ગીતાબેન રાકેશ શર્મા અને રાકેશ ભગવાન શર્મા સાથે વેપાર શરૂ કર્યો હતો. ૭.૮૭ લાખનો માલ ખરીદી માત્ર એક લાખનું ચૂકવણું કર્યું હતું. બાકી બચેલા ૬.૮૭ લાખ માટે ત્રણ વર્ષે પણ રૂપિયા  આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. વરાછા પોલીસે ગુનોવધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!