Plane crash : અમદાવાદમાં એરક્રેશ દુર્ઘટનાના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયા

અમદાવાદમાં એરક્રેશ દુર્ઘટનાના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયા છે જેમાં કોલ્ડ સ્ટોરેજની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ અધિકારીઓ PM રૂમની બહાર ખડેપગે બંદોબસ્ત કરી રહ્યાં છે અનેકોઈ પણ વ્યક્તિની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, DNA રિપોર્ટ આવ્યા બાદ પરિજનોને બોલાવાશે અને 250થી વધુ કોફિનમાં મૂકવામાં આવ્યા મૃતદેહ.

કોલ્ડ સ્ટોરેજની બહાર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ PM રૂમની બહાર ખડેપગે છે, પરિવારજનોને પણ પીએમ રૂમમાં જવા પર પ્રતિબંધ લાગ્યો છે, DNA રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને બોલાવાશે PM રૂમ અને 250 થી વધુ કોફિનમાં મૂકવામાં આવ્યા છે મૃતદેહને, જે લોકોના ડીએનએ મેચ થયા છે તે પરિજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્વેસ્ટિગેશન માટે ટીમની રચના કરાઇ : પ્લેન ક્રેશન થતા તેને સંલગ્ન એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કઇ રીતે પ્લેન ક્રેશ થયુ તેમાં શું ટેકનીકલ ખામી સર્જાઇ જેવી બાબતોનું માઇ કોલેવલે ઇન્વેસ્ટીગેશન કરવા એક ટીમની રચના કરાઈ છે. જેની ટીમ દિલ્હીથી શુક્રવારે સવારે ઘટના સ્થળે મેઘાણીનગર પહોચી હતી.

ઇન્વેસ્ટિગેશન રૂમ તૈયાર કરાયો : પ્લેન ક્રેશની ઘટનાને પગલે અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનના કેટલાક ભાગ, આસપાસના સીસીટીવી કેમેરાના ડીવીઆર સહિતની ચીજવસ્તુઓ તૈયાર કરેલા ઇન્વેસ્ટીગેશન રૂમમાં લઇ જવાઈ છે. ત્યાં કર્મીઓને પણ મોબાઇલનો ઉપયોગ કરવા દેવાતો નથી

રેસિડેન્ટ ડોકટરો સામાન લેવા પહોંચ્યા પરંતુ મોબાઇલ ફોન બહાર મુકાવ્યા : પ્લેન ક્રેશની ઘટનામાં કેટલાક વિધાર્થી અને રેસીડેન્ટ ડોકટરોના મોત થયા હતા. ત્યારે જે ડોકટરો હોસ્પિટલ હતા અને તે સમયે ઘટના બની જેથી તેમનો સામાન અંદર જ હતો. આજે હોસ્ટેલમાં પોતાનો સામાન લેવા પહોચ્યા હતા. જેમાં પોલીસ દ્વારા તેમને મોબાઇલ ફોન પણ બહાર મૂકાવીને અંદર જવા દીધા હતા.

error: Content is protected !!