એમ વિજય રુપાણીના ડીએનએ મેચ થયા છે. અને તેમના મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવશે. જે બાદ અંતિમવિધિ માટે તમામ કાર્યવાહીઓ હાથ ધરાશે. એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ હતી. જેમાં વિજય રુપાણી પણ સવાર હતા. તેઓ લંડન પોતાના પરિવાર સાથે મુલાકાત કરવા માટે જઇ રહ્યા હતા. પરંતુ પ્લેન લંડન માટે ટેક ઓફ કર્યાના ગણતરીના મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ દુર્ઘટનામાં એક યાત્રીને બાદ કરતા તમામ મુસાફરો મોતને ભેટ્યા હતા.
આવતીકાલે એટલે કે સોમવારે રાજ્યના ભૂતપૂર્વ CM વિજય રુપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. ડીએનએ સેમ્પલ મેચ થઇ ગયા બાદ આજે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવશે. અને બાદમાં આવતીકાલે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાંજ સુધીમાં મૃતદેહ રાજકોટ લઇ જવાશે. જ્યાં તેમના પરિવારના સભ્યો અને રાજનીતિની હસ્તિઓ પહોંચી છે. અને વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ આપી છે. અન્ય પરિવારજનો ગાંધીનગરથી રાજકોટ પહોંચી રહ્યા છે.
વિજય રુપાણીની પત્ની અંજલિ, તેમનો પુત્ર અને પુત્રી લંડન હતા. જ્યાં તેઓ તેમના પરિવારને મળવા માટે જઇ રહ્યા હતા. વિજય રુપાણીના નિધન બાદ તેમની પત્ની અંજલિ ગુજરાત આવી પહોંચ્યા હતા. આવતીકાલે વિજય રુપાણીના અંતિમ સંસ્કાર કર્યા બાદ શોકસભા યોજવામાં આવશે. અને બાદમાં ગાંધીનગરમાં પણ શોકસભાનું આયોજન કરવામાં આવશે. વિજય રુપાણીને તેમના કાર્યો, નિર્ણયો અને સરળ સ્વભાવ માટે હમેંશા યાદ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પીએમ મોદીએ વિજય રૂપાણીના પરિવાર સાથે મુલાકાત કરીને સાંત્વના આપી હતી.