અમરોલીમાં એક યુવકની હત્યાના મામલે કાર્યવાહી કરવામાં આવી,3 આરોપીઓની ધરપકડ

સુરતના અમરોલીમાં એક યુવકની હત્યાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. અમરોલી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. 3 આરોપીઓએ પત્નીનો મોબાઈલ નંબર માંગી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 3 આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે મામલે અમરોલી પોલીસે આરોપી મુક્તસીદ, સાહિલ અને ફારૂક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ 3 આરોપીઓએ અન્ય એકને પણ ચપ્પાના ઘા ઝીંક્યા હતા.યુવકની હત્યા બાદ 3 આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી કોસાડ આવાસમાં યુવકની હત્યા મામલો સામે આવ્યો હતો. જે મામલે અમરોલી પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. આ 3 આરોપીઓએ યુવકની પત્નીનો નંબર માંગીને ચપ્પુના ઘા ઝીંકી દઈને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઉપરાંત તે 3 આરોપીઓએ અન્ય એકને પણ ચપ્પાના ઘા ઝીક્યા હતા. જે બાદ આરોપીઓ હત્યા બાદ ફરાર જતા આ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

error: Content is protected !!