સુરત મહાનગરપાલિકાના મેયરનિધિમાંથી ૪૯૮ જરૂરીયાતમંદોને રૂા.૧.૧૧ કરોડની સહાય એનાયત

શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવેલી સારવાર માટે પાલિકાના નીતિ નિયમો અનુસાર જરૂરિયાતમંદ દર્દીઓને થયેલા ખર્ચ બાબતે મેયર નિધિમાંથી આર્થિક સહાય મેળવવા અરજીઓ કરવામાં આવી હતી. જેમાં ગત તા.૧લી જુલાઈના રોજ મેયરનિધિની મળેલી મિટિંગમાં ૪૯૮ જેટલા લાભાર્થીઓની ૧.૧૧ કરોડની સહાય મજુર કરીને આવી હતી.

મેયરનિધિ સમિતિની આર્થિક સહાયની સૌથી ઝડપી ચુકવણી છે જેમાં મિટિંગમાં મંજુર થયાના ફક્ત ૧૫ દિવસમાં જ આ સહાય લાભાર્થીને પહોંચતી કરવામાં આવી હતી.સુરત મહાનગરપાલિકાના સરદાર ખંડમાં મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે. મેયરશ્રી ડૉ. નરેન્દ્રભાઈ પાટીલ, અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિ રાજનભાઈ પટેલ, મેયર નિધિ સમિતિના સદસ્યો, વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓની હાજરીમાં મેયરનિધિના લાભાર્થીઓને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય : જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં ૫૦ પૈસાનો ઘટાડો : ફ્યુઅલ સરચાર્જ હવે રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટથી ઘટીને રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ

error: Content is protected !!