કેન્દ્ર સરકાર જન્મ અને મૃત્યુની નોંધણી સંબંધિત નિયમોને વધુ કડક બનાવવાની તૈયારીમાં છે. પ્રસ્તાવ મુજબ, જન્મ કે મૃત્યુની માહિતી 21 દિવસમાં નોંધાવવી ફરજિયાત રહેશે. જો બે વર્ષથી વધુ વિલંબ થશે તો નોંધણી માત્ર ફર્સ્ટ-ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ જ થઈ શકશે. સરકારનો હેતુ જન્મ-મૃત્યુના રેકોર્ડને સમયસર ડિજિટલ સિસ્ટમમાં નોંધવા અને મોડા રજિસ્ટ્રેશનના દુરુપયોગને રોકવાનો છે. હાલ આ પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે.





