આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ : પાવાગઢ મંદિરમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું

આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે,આજે વહેલી સવારથી પાવાગઢ મંદિરમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું છે,વહેલી સવારથી મા મહાકાળીના દર્શન કર્યા છે.ઉનાળાના દિવસો હોવાથી ભક્તો સવારના ઠંડા પહોરમા દર્શન કરવા માટે પહોંચી રહ્યાં છે,ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ભારતના 51 શક્તિપીઠમાંના એક પાવાગઢ શક્તિપીઠના દર્શનનું માઇ ભક્તોમાં ખૂબ જ મહત્વ છે.

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી શરુ થનારી ચૈત્રી નવરાત્રીને લઈને માઇભક્તોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પરિવાર પાવાગઢ દ્વારા મંદિર ખોલવાનો અને દર્શનનો સમય નક્કી કરાયો છે. જેમા 30મી માર્ચના રોજ એકમના દિવસે મંદિર ખુલવાનો સમય સવારે 4.00 અને બંધ થવાનો સમય સાંજે 8.00 કલાકે રહેશે.ત્યારબાદ બીજથી સાતમ સુધી મંદિર 5.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. આઠમ અને નોમના દિવસે મંદિર સવારે 4.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. દસમથી ચૌદશ સુધી મંદિર 5.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. પુનમના દિવસે મંદિર 4.00 વાગે ખુલશે અને 8.00 વાગે બંધ થશે. આ અંગેનું સમયપત્રક મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

error: Content is protected !!