મંત્રી બચુ ખાબડના દીકરા સામે મનરેગામાં કૌભાંડનો આક્ષેપ થયા બાદ બચુ ખાબડના રાજીનામાની માંગ ઉઠી છે.પૂર્વ ધારાસભ્ય અને ભાજપને રામ રામ કરનાર મહેશ વસાવાનું નિવેદન સામે આવ્યું છે.પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સરકાર સમક્ષ બચુ ખાબડના રાજીનામાની માંગ છે.ભ્રષ્ટાચારમાં બચુ ખાબડના બન્ને પુત્રની સંડોવણી સામે આવી હતી અને મનરેગા યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે.
મહેશ વસાવા કહ્યું છે કે, મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર રાસરકારના મંત્રી બચુ ખાબડના પુત્રની સંડોવણી સામે આવતા મુખ્યમંત્રીએ તાત્કાલિક મંત્રી બચુ ખાબડનું રાજીનામુ લઈ લેવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે, આખી સરકાર ભ્રષ્ટાચાર છે જેથી એની સામે લડત આપીશું. સાથે જ બેઠકમાં ગુજરાતમાંથી ભાજપને ઉખેડી નાંખવાનો નિશ્ચય કરાયો છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની ચંદેરીયા વ્હાઈટ હાઉસમાં સમર્થકો સાથે બેઠક યોજીને ચર્ચા કરી હતી. વાલીયા-ઝઘડીયા લિગનાઈટ પ્રોજેક્ટ અને સિંચાઈ રોજગારીના પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી.
દાહોદમાં મનરેગા કૌભાંડમા રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના બંન્ને પુત્રોની સંડોવણી સામે આવી હતી. જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલે 35 એજન્સીઓ સામે નોંધાંવેલ ફરીયાદમા મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ છે મંત્રી પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડે પોલીસ ધરપકડથી બચવા દાહોદ સેસન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
નાણાંકીય વર્ષ 2021થી 2025 ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારીઆના કુવા અને રેઢાણા જ્યારે ધાનપુરના સીમામોઈ ગામે માત્ર દેખાડા પૂરતું કામ કરાયું હતુ અને ધાનપુર- દે.બારિયામાં 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીઆના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી હતી.