રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 27મી ઓક્ટોબરના રવિવારથી વિન્ટર શેડયુલનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વિન્ટર શેડયુલમાં હવાઇ સેવાનો વધારો થયો છે. આ સેવાનો પ્રાંરભ થતા આસપાસના વેપારીઓ તેમજ નિયમિત અવરજવર કરનારાઓને મોટી મદદ મળશે.
જેમાં 27મી ઓક્ટોબરના રોજથી રાજકોટથી દિલ્હી અને વડોદરાની સીધી ફલાઇટનું ઉડ્ડયન શરૂ થશે. રાજકોટથી આંતર જિલ્લા હવાઇ સેવામાં ઇન્ડિગોને અમદાવાદ સેવા બંધ થઇ છે. ત્યારે સ્ટાર એરલાઇન્સ કંપનીએ અમદાવાદ અને વડોદરાની સેવા પૂરી પાડવા આગળ આવી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના વિન્ટર શેડયુલના ડેઇલી મુંબઇની પાંચ, દિલ્હીની બે, ગોવા એક, બેંગ્લોર એક, વડોદરા-અમદાવાદ એક-એક, એર ઇન્ડિયાની દિલ્હીની સીધી ફ્લાઇટ સેવા ઉપલબ્ધ થશે.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 27મી જુલાઈ 2023ના રોજ પોતાના ડ્રિમ પ્રોજેક્ટ એવા હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું.
રાજકોટથી 30 કિમી અંતરે આવેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટરમાં ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યાં છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે. એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે.