Gujarat : ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત

ગુજરાતના સાબરકાંઠામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ અકસ્માત હિંમતનગરમાં સહકારી જીન પાસે સર્જાયો હતો. જેમાં કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાતા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે હજુ એકની હાલત ગંભીર છે. કારમાં સવાર મુસાફરો શામળાજીથી અમદાવાદ આવી રહ્યા હતા.

જેમાં મળતી માહિતી મુજબ રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રેલરની પાછળ પુરઝડપે આવી રહેલી કાર અથડાઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. જેના પગલે ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે કાર કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.આ ઘટનાની જાણ થતા જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ હાલ મૃતકોની ઓળખ પણ કરવામાં આવી રહી છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે. તેમજ પોલીસે આ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!