અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૦/૦૭/૨૦૨૪ના રોજ અમરોલી વિસ્તારનાં રહે વિભાગ–એ, ઘર નં.–૦૯, મધુવન સોસાયટી, છાપરાભાઠા રોડ ખાતે રહેતા પોપટભાઈ દેવીપુજકની ૧૯ વર્ષિય દિકરી આરતીબેન કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણ છે અને ઉંચાઈ ૦૫.૦૦ ફુટ છે. જેણે શરીરે કેવા કપડા પહેરેલ છે જેની ખબર નથી. જે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
