પ્રેમલગ્નના બે વર્ષમાં જ વકીલની પત્નીએ આપઘાત કર્યો : સાસરિયા સામે દુષ્યેરણા અંતર્ગત ગુનો નોંધાયો

સુરતનાં ઉધના મગદલ્લા રોડ પર આવેલા અંબાનગરમાં રહેતી વકીલની પત્નીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બે વર્ષ પૂર્વે તેણીએ પ્રેમલગ્ન કર્યા હતા. મૃતકના આપઘાત બાદ પિયર પક્ષ દ્વારા સાસરિયા સામે ત્રાસ આપતા હોવાના આક્ષેપ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉધના મગદલ્લા રોડ પર આવેલા અંબાનગરની ગજાનંદ શેરીમાં રહેતી ૨૫ વર્ષીય રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલાએ શનિવારે સાંજે ઘરમાં છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક પરિણીતાએ બે વર્ષ પહેલાં જ વકીલ ધવલ જરીવાલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આપઘાતના બનાવવા અંગે ખડોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!