મોરબીમાં વ્યાજખોરોએ શિક્ષકનું અપહરણ કરી ઢોર મારમાર્યો

મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે,જેમાં શિક્ષકે વ્યાજે રૂપિયા લીધા હતા ત્યારબાદ રૂપિયા શિક્ષક આપતો ન હતો તેવા આક્ષેપ સાથે માર મારવામાં આવ્યો અને શિક્ષકનું અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી છે,શિક્ષકે ધંધા માટે 40 લાખ વ્યાજે લીધા હતા અને શિક્ષકે 59 લાખ પરત કર્યા છતાં વધુ રૂપિયા માંગતા હોવાની વાત સામે આવી છે.

શિક્ષકનું કહેવું છે કે,તેની પાસે વ્યાજખોરો વધુ રૂપિયા માંગતા હતા અને વધુ રૂપિયા ના આપ્યા તેને લઈ શિક્ષકને માર મારી તેનું અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી છે,શાળાએથી શિક્ષકનું કારમાં અપહરણ કર્યુ હોવાની વાત સામે આવી છે,તો સમગ્ર મામલે પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધ્યો હોવાની વાત સામે આવી છે.શિક્ષક હરેશ વડગાસિયાએ નોંધાવી ફરીયાદ.વ્યાજખોરો રવિ મારવાણિયા,કેલ્વિન પટેલ,વિશાલ પારેજીયા સામે નોંધાઇ પોલીસ ફરિયાદ.

શિક્ષકે ધંધા માટે 40 લાખ વ્યાજે લીધા હતા જેમાં શિક્ષકે 59 લાખ પરત કરી દીધા હતા તેમ છત્તા વ્યાજખોરો ધમકી આપતા હતા અને માર માર્યો હોવાની વાત સામે આવી છે,આરોપીઓ ચાલુ શાળાએ શિક્ષકનુ કારમાં અપહરણ કરી ઢોર મારમાર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાઈ છે,શિક્ષક લખધીરપુર શાળામાં ફરજ બજાવે છે અને શાળામાં આવીને ઉઠાવી ગયા હતા અને માર માર્યો હોવાની વાત સામે આવી છે.આરોપીઓ પાસેથી 40 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા બાદ 59 લાખ પરત કર્યા છે.મોરબી તાલુકા પોલીસ મથકે ત્રણેય શખ્સ વિરુદ્ધ મની લોન્ડરીગ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

error: Content is protected !!