સોનગઢના ગુણસદા ગામની મારુતિ નગર સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય જમા છનિયાભાઈ ગામીતે પત્ની શાનુબેન ગામીતને રોટલો બનાવી આપવા કહ્યું હતું. પરંતુ ઘરમાં જુવારનો લોટ પૂરો થઈ ગયો હોવાથી પત્નીએ રોટલો બનાવી આપ્યો ન હતો. તે બાબતે જમાભાઈ ગામીતને ખોટું લાગતા ઝેર પીધું હતું.
