સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’ સર્કલ દૂર કરવામાં આવ્યુ છે. આ સર્કલ મંજૂરી વગરના જ બનાવવામાં આવતા તે હવે દૂર કરવામાં આવ્યુ છે. ખાનગી સંસ્થાએ જાતે જ ‘સિંદૂર સર્કલ’ દૂર કર્યુ છે. સાંસદે આ મામલે મનપા કમિશ્નરને પત્ર લખ્યો હતો. અને સમગ્ર ઘટના વર્ણવી હતી. ‘ઓપરેશન સિંદૂર’ સર્કલ દૂર કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અગાઉ વિના મંજૂરીએ બનાવવામાં આવેલા ‘સિંદૂર સર્કલ’ને નોટિસ ફટકારવામાં આવી હતી.
સુરતના પાલ-હજીરા રોડ પર તૈયાર કરવામાં આવેલા ‘સિંદૂર સર્કલ’ને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતુ. જો આ સર્કલ દૂર નહી કરાય તો મનપા ‘સિંદૂર સર્કલ’ દૂર કરશે. આ સમગ્ર મામલો સાંસદના પત્ર બાદ ધ્યાને આવ્યો હતો. સુરતમાં અનેક જગ્યાએ ટ્રાફિક સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો સુરતના પાલ વિસ્તારમાં સ્થાનિક બિલ્ડર જૂથે એકત્ર થઇને ‘સિંદૂર સર્કલ’ બનાવ્યુ હતુ. નિયમોને બાજુએ મૂકીને સર્કલ બનાવી દેતા હોબાળો સર્જાયો હતો. પાલિકાની મંજૂરી વિના આ સર્કલ બનાવી દેતા પાલિકાએ લાલ આંખ કરી હતી. અને સર્કલ હટાવવા માટે અલ્ટીમેટમ આપ્યુ હતુ. પાલિકાની મંજૂરી વગર સૈન્ય વિમાનની પ્રતિકૃતિ સાથે સર્કલ બનાવવામાં આવ્યુ હતુ. સુરતમાં અડાજણ વિસ્તારમાં આવેલા ચાર સર્કલ પર ‘ઓપરેશન સિંદૂર’ નામથી સર્કલ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે આ રજૂઆત કરી હતી. પાલ-હજીરા મેઈન રોડ પર સૂચવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ નામથી સર્કલ તૈયાર કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ સર્કલ અંગે વિવાદ સર્જાયો હતો. સમગ્ર પ્રકરણમાં પાલિકાની મંજૂરી વિના જ સ્થાનિક બિલ્ડર જૂથે સર્કલ બનાવ્યુ હોવાનું પ્રકાશમાં આવ્યુ હતુ.