Plane crash : ત્રીજા દિવસે કાટળમાળમાંથી મૃતદેહ મળ્યો

અમદાવાદમાં હાલમાં થયેલા પ્લેન ક્રેશ બાદ સતત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પછી સતત ત્રીજા દિવસે કાટળમાળમાંથી મૃતદેહ મળ્યો છે. બચાવ કર્મચારીઓએ એર ઈન્ડિયા એઆઈ-171 વિમાનના પાછળના ભાગના કાટમાળમાંથી એક મૃતદેહ મળ્યો છે, જે એરહોસ્ટેસનો હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘટના બાદ હાઈ લેવલ કમિટી બનાવવામાં આવી છે. શનિવારે કમિટીના સભ્યો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.

આ તમામની વચ્ચે શનિવારે સવારે વિમાનના પાછળના ભાગમાંથી એક મૃતદેહ મળ્યો, NDRFની ટીમે બોડીને રિકવર કરી છે. હાલ બોડીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. ઘટનાસ્થળને હાલ સુરક્ષિત કરવામાં આવ્યું છે.એએઆઈબીના એક મેમ્બરે જણાવ્યું હતું કે અમે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના સબંધિત જે કંઈ પણ જાણકારી છે તે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી તરફથી જાહેર કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લોકોની હાલત ખુબ ખરાબ છે. ઘટનાના ત્રીજા દિવસે પણ પરિવારદજનો પોતાના લોકોના મૃતદેહો શોધી રહ્યા છે. હોસ્પિટલના કહ્યા અનુસાર 240 લોકોનું સેમ્પલ લેવામાં આવ્યા છે.એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં 12 ક્રુ મેમ્બરો સાથે કુલ 242 લોકો હાજર હતા. જેમાં 169 ભારતીય નાગરિક, 53 બ્રિટિશ નાગરિક, સાત પોર્ટુગલ અને એક કેનેડાના નાગરિક હતા. આ ફ્લાઈટમાં હાજર 242 પેસેન્જરમાંથી 241ના મોત નિપજ્યા છે, ફક્ત 1 વ્યક્તિ જીવીત બચ્યો છે.

error: Content is protected !!