Plane crash : અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુઆંક 274 સુધી પહોંચ્યો

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ધટનાએ આખા દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. એર ઈન્ડિયાના આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા તેમાંથી 241 લોકો મોતને ભેટ્યા છે જ્યારે એક માત્ર વ્યક્તિ વિશ્વાસ રમેશ કુમારનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. મેઘાણીનગરમાં ક્રેશ થયેલું વિમાન BJ મેડિકલ હોસ્ટેલ પર પડ્યું હતું જેમાં પણ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સના દુર્ઘટનામાં મોત હતા.

અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યાના થોડી જ સેકન્ડ બાદ મેઘનાનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર ક્રેશ થઈ ગઈ હતી. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 274 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત સરકારે 274 લોકોના મોતની જાહેરાત કરી છે. 12 જૂને એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું જેમાં પ્લેનમાં સવાર 242 લોકોના મોત થયા હતા.

સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સના દુર્ઘટનામાં મોત : આ ભયાનક અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 274 લોકો મૃત્યુ પામ્યા હોવાનો આંકડો સામે આવ્યો છે. જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ બિલ્ડિંગ સાથે અથડાયું હતું જેમાં સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સના દુર્ઘટનામાં મોત થયા છે સાથે જ BJ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના પણ દુર્ઘટનામાં મોત છે.

મેઘાણીનગરમાં વિમાન ક્રેશ થયું : તમને જણાવી દઈએ કે, અમદાવાદના મેઘાણીનગરમાં ગુજસેલ એરપોર્ટ પર IGP કમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થયું હતું. એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા અને આગ લાગતાં જ નાસભાગ મચી જવા પામી હતી. એર ઈન્ડિયાનું આ પ્લેન અમદાવાદથી ટેક ઓફ કર્યા પછી લંડન જઈ રહ્યું હતું. ટેક ઓફ થયાની ગણતરીની મીનિટોમાં જ વિમાન ક્રેશ થયું હતું.

error: Content is protected !!