Plane crash: ફોરેન્સિક ટીમ દુર્ઘટનાના કારણોની કરશે તપાસ

અમદાવાદના મેઘાણીનગરમાં એરઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં મોટી દુર્ઘટના બનવા પામી. ગુરુવાર 12 જૂનના રોજ શહેરમાં મેઘાણીનગર જેવા રહેણાંક વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. પ્લેન ક્રેશ થતા પહેલા મેડિકલ ઇન્ટર્ન હોસ્ટેલના બિલ્ડીંગ સાથે અથડાયું હતું પ્લેન ક્રેશ થતા 2 કિ.મી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.

મેઘાણીનગરના ગીચ વિસ્તારમાં એરઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા ગોઝારી દુર્ઘટના બનવા પામી હતી. એર ઇન્ડિયાનું એરબસ AI171 દુર્ઘટનાગ્રસ્ત થતા મેઘાણીનગરમાં નાસ ભાગ મચી હતી. આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા. શહેરના વસ્તી ધરાવતા વિસ્તાર એવા મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થતા આ દુર્ઘટનામાં મુસાફરો ઉપરાંત ઇન્ટર્ન ડોકટરો સહિત કુલ 265 લોકોનો મોત થયાનું સામે આવ્યું છે. શહેરમાં ગુરુવારુના રોજ બનવા પામેલ ગોઝારા અકસ્માતના કારણોની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

દરમિયાન આજે ફોરેન્સિક ટીમ અમદાવાદ આવી ગઈ છે. વિમાન દુર્ઘટનાનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પ્લેન ક્રેશની જગ્યાએ પહોંચી છે. એરઇન્ડિયાના બોઈંગ વિમાન ક્રેશ થવા પાછળ કયા કારણો જવાબદાર છે તેની ફોરેન્સિક ટીમ તપાસ કરશે. મેઘાણીનગરના ISG કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ પડ્યું તે મેડિકલ મેડિકલ ઇન્ટર્ન હોસ્ટેલના બિલ્ડીંગ સાથે અથડાયું હતું. મેડિકલ હોસ્ટેલની આસપાસ પ્લેનના અનેક ભાગોનો કાટમાળ પથરાયેલો પડ્યો છે. તૂટેલા વિમાનના ભાગો પણ જ્યાં ત્યાં પડેલાં છે.

આજે PM મોદી વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા છે. જેના બાદ તેઓ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળશે અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી શકે છે અને ભયંકર પ્લેન દુર્ઘટનાને લઇને PM મોદી સમીક્ષા બેઠક કરે તેવી સંભાવના છે.

error: Content is protected !!