રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમયાત્રા નિકળશે અને અંતિમયાત્રાના રૂટ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, સમગ્ર રુટ પર ‘નો પાર્કિંગ અને નો એન્ટ્રી’ રહેશે અને નિર્મલા રોડથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમયાત્રા રહેશે.
અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતાપૂત્ર વિજયભાઈ રૂપાણીનું દુખદ નિધન થતા સૌ કોઈ સોકાતુર છે ત્યારે તેમના ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવશે અહીં તેમના નિવાસસ્થાનથી રામનાથપરા સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવાના હોય જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવવાના હોવાથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તેમના રૂટ ઉપરના તમામ માર્ગો ઉપર તમામ વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવવામાં આવ્યું છે.
રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશર મહેન્દ્ર બગડિયાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામાં જણાવ્યું છે કે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગામી સમયમાં અંતિમયાત્રા યોજાનાર હોય જેમાં શહેર તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ, જાહેર જનતા જોડાનાર હોય જેથી તેમના નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડથી કોટેચા ચોક, કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ અન્ડરબ્રીજ, એસ્ટ્રોન ચોક, ડોક્ટર દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, ઢેબર ચોક, કોર્પોરેશન ચોક, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી પોઈન્ટ, કોઠારિયા પોલીસ ચોકી, ગરુડ ગરબી ચોકથી રામનાથપરા સુધી, પાંજરાપોળથી રામનાથપરા અને ગઢની રાંગ ભીચરી નાકા તરફથી રામનાથપરા સ્મશાનગૃહ સુધી તમામ વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે જયારે અંતિમયાત્રા નીકળશે તેના એક કલાક પૂર્વે આ જાહેરનામું અમલમાં રહેશે.