અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટનામાં 236થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે MBBSના 3 ડોક્ટરોના પણ મોત નિપજ્યાં છે.આ ઘટનામાં સૌથી મોટી વાત એ સામે આવી છે કે, ઘટનામાં માત્ર એક જ વ્યક્તિનો બચાવ થયો છે.જેમાં દીવના વિશ્વાસ કુમાર નામના વ્યક્તિનો બચાવ થયો છે.આ ફ્લાઈટમાં દીવના 11 લોકો મુસાફરી કરી રહ્યા હતાં.
અમદાવાદની આ પ્લેન દુર્ઘટનામાં સૌથી વધુ આણંદ જિલ્લાના નાગરિકો હતાં. આણંદ જિલ્લાના 33 યાત્રિકો પ્લેનમાં સવાર હતાં. જેમાં 18 પૂરૂષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. બીજી તરફ આ ઘટનામાં અમદાવાદ પોલીસ કમિશનરે એક નિવેદનમાં કહ્યું હતું કે, પોલીસેને પ્લેનની 11A સીટ પર એક વ્યક્તિ જીવીત મળ્યો હતો. આ વ્યક્તિની સારવાર ચાલી રહી છે.અમદાવાદમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં કેન્દ્રીય નેતાઓ પણ અમદાવાદ પહોંચી ગયા હતાં. લોકોના મોતના આંકડા અંગે હાલમાં ચોક્કસ જાણકારી સામે નથી આવી પરંતુ એક વ્યક્તિ જીવીત હોવાની વાત અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. આ અંગે દીવનું પ્રસાશન પણ હરકતમાં આવ્યું છે અને અમદાવાદ આવવા માટે રવાના થયું હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, પોલીસને સીટ 11A પર એક વ્યક્તિ જીવીત હાલતમાં મળી આવી હતી.તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.