અમદાવાદના મેધાણીનગરમાં પ્લેન ક્રેશ થયુ છે. જે બાદ દોડધામ થઇ છે. રહેણાંક વિસ્તારમાં આ મોટી દૂર્ઘટના સર્જાતા વધુ ભીતી સેવાઇ રહી છે. એર ઇન્ડિયાના પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા. પ્લેન ક્રેશ થયા બાદ આકાશમાં ધુડાના ગોટેગોટા દેખાયા હતા. રસ્તા પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. અને સાંજના 5 વાગ્યા સુધી અમદાવાદ એરપોર્ટ બંધ રાખવામાં આવ્યુ છે.આ ઉપરાંત પોલીસ તપાસ પણ તેજ કરવામાં આવી છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા બાદ નાસભાગ સર્જાઇ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ દૂર્ઘટનાગ્રસ્ત થતા તમામ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખેસડાયા છે. આ ફ્લાઇટ દૂર્ઘટના બાદ પીએમ મોદીએ સમગ્ર માહિતી મેળવી હતી. અને ગુજરાત આવવા માટે રવાના થયા છે.
પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે. સમગ્ર મામલે કડક નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 30થી વધુ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.હજી પણ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે,કામગીરીઅમદાવાદમાં મોટી દૂર્ઘટના થઇ છે. જેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. વિમાન દૂર્ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા છે. અને આ મામલે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમીક્ષા કરાવા માટે અમદાવાદ આવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત વિમાનના પાછળના ભાગ સાથે અથડાવાથી થયો હતો. કેટલાક અહેવાલોમાં એવું પણ બહાર આવ્યું છે કે વિમાનનું એન્જિન અચાનક ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. અકસ્માત બાદ ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરદાર વલ્લભ ભાઈ પટેલ એરપોર્ટ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે.
અમદાવાદ અકસ્માત અંગે DGCAનું નિવેદન પણ બહાર આવ્યું છે. નિવેદન મુજબ, એર ઇન્ડિયા B787 વિમાન VT-ANB એ અમદાવાદથી ગેટવિક માટે ઉડાન ભરી હતી. ત્યારબાદ તે ક્રેશ થયું હતું. DGCAના જણાવ્યા અનુસાર, ફ્લાઇટમાં 242 લોકો સવાર હતા જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે.