PM નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી/શ્રીનગર : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:- “પવિત્ર અમરનાથ યાત્રાના શુભારંભ પર તમામ શ્રદ્ધાળુઓને મારી હાર્દિક શુભેચ્છાઓ. બાબા બર્ફાનીના દર્શન અને પૂજા સાથે જોડાયેલી આ યાત્રા શિવના ભક્તોમાં અપાર ઊર્જાનો સંચાર કરનારી હોય છે. તેમની કૃપાથી તમામ ભક્તોનું કલ્યાણ થાય એવી મારી ઈચ્છા છે. જય બાબા બર્ફાની!”

error: Content is protected !!