ચોથા માળે મકાનમાં ધમધમતા કૂટણખાના પર પોલીસની રેડ, બે ગ્રાહક સહિત ત્રણ પકડાયા

સુરત શહેરના વરાછા જગદીશનગરમાં ચોથા માળે મકાનમાં ધમધમતા કૂટણખાના પર પોલીસે રેડ કરી મહિલા સંચાલિક સહિત ત્રણની ધરપકડ કરી હતી.રવિવારે બપોરે વરાછા પોલીસે રેડ કરી હતી.

ચોથા માળે મકાન ભાડે રાખી આશાબેન રમેશ બારૈયા બહારથી લલનાઓ બોલાવી દેહવેપાર કરાવતી હોવાની બાતમીને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રેડ વખતે અહીંથી બે લલનાઓ મળી આવી હતી. તેમની સાથે બે ગ્રાહકો મીટ્ટુ રામપ્યારે પ્રસાદ અને આકાશ રામજીત યાદવ મળી આવ્યા હતા. આ બંને ગ્રાહકો તથા કૂટણખાનાની સંચાલિકા આશાબેન બારેયા વિરુદ્ધ પોલીસે ઇમારોલ ટ્રાફિક એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

error: Content is protected !!