Plane crash : અમદાવાદ પ્લેન અકસ્માત બાદ DGCAએ ભારતીય એરલાઈન્સમાં સેફટી વધારવાના નિર્દેશ આપ્યા

અમદાવાદ પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનાથી દેશમાં હડકંપ મચ્યો છે. અમદાવાદથી લંડન જતું એરઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા 265 લોકોના મોત થયા. પ્લેન દુર્ઘટનામાં મોટાપાયે જાનહાનિ થતા ભારતમાં એરલાઈન્સ સેફટી મામલે વધુ કડક નિયમન લાદવાનો DGCA પ્રયાસ હાથ ધરાયો છે.અમદાવાદ પ્લેન અકસ્માત બાદ DGCA દ્વારા એરલાઈન્સ અને વિમાન ઉડાન બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

DGCAએ ભારતીય એરલાઈન્સમાં સેફટી વધારવાના નિર્દેશ આપ્યા છે. દેશની તમામ એરલાઈન્સને લઈને DGCA દ્વારા ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈનનો તાત્કાલિક અમલ કરવામાં આવશે. જે અંતર્ગત 15 જૂનથી જ તમામ વિમાનોની ફરજીયાતપણે તપાસ થશે. ઉડાન પહેલા બોઇંગ 787-8/9 વિમાનની તપાસ થશે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આંતરાષ્ટ્રીય એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનામાં 5થી વધુ એજન્સીઓ તપાસ કરશે.

વિમાનમાં પ્રવાસ કરતા મુસાફરોની સુવિધાને લઈને DGCAઆ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન મુજબ દરેક ફ્લાઇટના ડિપાર્ચર પહેલાં ફરજિયાતપણે તપાસ થશે. આ તપાસમાં સુવિધાયુક્ત સર્વિસની કામગીરી ઉપરાંત ખાસ કરીને ટેકનીકલ ખામી છે કે કેમ તેની તપાસ બાદ જ વિમાન ઉડાન ભરી શકશે. જેટ ફ્યુઅલ પરમિટિંગ મોનિટરિંગની તપાસ કરવાની રહેશે. તેમજ તેની સાથે સાથે જોડાયેલી સિસ્ટમની પણ તપાસ થશે. આ ઉપરાંત કેબિનમાં હવાના દબાણ, એન્જિન કંટ્રોલ સિસ્ટમના ટેસ્ટિંગ કરવાના રહેશે અને હાઇડ્રોલિક સિસ્ટમ અને ટેકઓફના માપદંડોની દૈનિક સમીક્ષા કરવાની રહેશે. તેમજ 2 સપ્તાહમાં પાવર ઇન્શ્યોરન્સ સ્ટેટ જરૂરી બનાવવામાં આવ્યા.

error: Content is protected !!